
Spritual Story: ગુજરાતમાં આવેલી એક એવી દરગાહ, જ્યાં માથું ટેકવવા માત્રથી કેન્સર જેવી બીમારીઓ થાય દૂર..!
Spritual Story: આપણા ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જેના ચમત્કારો જોઈને આપણને ખૂબ નવાઈ લાગશે. ગુજરાતની અંદર આવી જગ્યા પણ આવેલી છે જ્યારે કોઈ વધારે બીમાર થઈ જાય ત્યારે દવા અને દુઆ બંને ની જરૂર પડે છે. દવા સાથે સાથે દુવા ની પણ જરૂર પડે છે. અને આવી દુવાઓ થી ઘણા લોકો આ બીમારીમાંથી પણ નીકળી જાય છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવિશુ.
અહી બાધા રાખવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ દૂર થઈ જાય છે. લોકો જ્યારે કેન્સર નું નામ સાંભળે એટલે એવું માંની લે છે કે હવે આ બીમારી મટશે નહીં. પણ એવું નથી. આ ચમત્કારી સ્થળ કચ્છ માં આવેલું છે. અહીં ઘણા કેન્સરના દર્દીઓ આવે છે. અહીં આવનારા દર્દીઓ માનતા માને છે અને તેમની બીમારી દૂર થઈ જાય છે. કેન્સરથી બચવા લોકો ઘણા પ્રયત્નો કરે છે પણ બચી શકતા નથી પણ અહીં આવવાથી એ સાજા થઇ જાય છે એવું માનવામાં આવે છે.
આ કોઈ મંદિર નથી પણ દરગાહ છે. આ દરગાહ ને લોકો ગેબનશાહ પીરની દરગાહ તરીકે ઓળખે છે. આ દરગાહ તેના પરચાથી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, અહી બાધા રાખવાથી કેન્સર જેવી મોટી બીમારી પણ મટી જાય છે. ઘણા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. અને બાધા માનતા હોય છે. લોકો અહીં પોતાની બીમારી ની સારવાર માટે આવતા હોય છે. ફક્ત મુસ્લિમ જ નહિ પણ હિન્દુઓ પણ અહીં આવે છે. અહીં હિન્દુઓ પણ બાધા માને છે. એવું માનવામાં આવે છે કે અહીં માની બાધા હંમેશા પૂરી થાય છે.
આજ સુધીમાં ઘણા બધા લોકોને અહી બાધા રાખવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી માંથી છુટકારો મળ્યો છે. અને અહીંથી સાજા થઈને જાય છે. દરગાહ ની ઉપર જ ‘કેન્સર ના ડોકટર’ એવું લખેલું છે. બહારના રાજ્ય માંથી ઘણા લોકો અહી બાધા રાખવા માટે આવે છે. અને એ લોકો આ બીમારીમાંથી મુક્ત થઈ જાય છે અને બીજા લોકોને પણ લઇ જવાની સલાહ આપે છે.
અહી લોકો પોતાની માનતા પૂરી થયા પછી દરગાહ પર ચાદર ચઢાવે છે. અમેરિકામાં રહેતા લોકો પણ આ દરગાહની બાધા રાખે છે. ગેબનશાહ પીરની દરગાહ ગોંડાલા ગામમાં આવેલી છે.અહી આવતા લોકો પ્રસાદ તરીકે ખાંડ અને ગોળ ચઢાવે છે. એવા ઘણા લોકો છે કે જેમને ગેબનશાહ પીરની દરગાહ માં બાધા રાખવાથી કેન્સર મટી ગયું હોય. આ એક મોટો પરચો છે, હજારો લોકો અહી ગેબનશાહ પીરના દર્શન કરવા આવે છે, અને તેમની મનોકામના પૂરી થાય છે.
અહીં સાંભળો ભક્તો શું કહે છે દરગાહ વિશે...!
પીર દરગાહની જગ્યાનું લોકેશન અહીં જાણો..
(નોંધ: આ લેખમાંં આપેલી માહિતી લોકોની શ્રધ્ધા અને આસ્થા સાથે જોડાયેલી છે. તેની પુષ્ટી અમે કરતા નથી.)
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - Spritual Story in Gujarati